આ પોસ્ટમાં ગુજરતના વ્યક્તિઓ વિશે મહત્વની માહિતી આપવામાં આવી છે. અવારનવાર ગુજરાત સરકારના દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં વ્યક્તિ વિશે લક્ષી પ્રશ્નો પૂછવામાં આવે છે


    દયાનંદ સરસ્વતી

    ➤ મૂળ નામ :- મૂળ શંકર

    ➤ 14 વર્ષે આખો યજુર્વેદ કંઠસ્થ હતો.

    ➤ ચાંદોદ પાસે વિદ્વાન સાધુ પૂર્ણાનંદ સરસ્વતીથી પ્રભાવિત થઈ, તેમની પાસે સંનસ્ત ગ્રહણ કરી, 'દયાનંદ સરસ્વતી' નામ રાખ્યું.

    ➤ 10 એપ્રિલ, 1875માં મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી.


    પૂજ્ય મોટા

    ➤ જન્મ :- સાવલી

    ➤ મૂળ નામ ચુનીલાલ

    ➤ હિસ્ટિરિયાનો રોગ લાગુ પડતા ચુનીલાલે જીવનનો અંત લાવવા નર્મદા નદીમાં ઝંપલાવ્યું, પરંતુ નીરે તેમને ઉછાળીને ફરીથી કાંઠા પર મૂકી દીધા.


    દાદા પાંડુરંગ આઠવલે

    ➤ જન્મ :- રોહા (મહારાષ્ટ્ર)

    ➤ 1956માં તેમણે મુંબઈમાં 'તત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના કરી.

    ➤ તેમને મેગ્સેસે એવોર્ડ (1996) અને ટેમ્પલ્ટન એવોર્ડ (1997) મળ્યો હતો.

    ➤ તેમની સંસ્કાર પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પાડતી એક ફિલ્મ 'આંતરનાદ' બનાવવામાં આવી હતી.


    પ્રમુખ સ્વામી

    ➤ જન્મ :- વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામમાં

    ➤ મૂળ નામ શાંતિલાલ

    ➤ 1939માં અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે કિશોરવયના શાંતિલાલને દીક્ષા આપી.


    સ્વામી સચ્ચિદાનંદજી

    ➤ વતન :- મહેસાણા પાસેનું મુજપુર

    ➤ સદગુરુ મુક્તાનંદજી પાસે પંજાબમાં દીક્ષિત થયા.

    ➤ 1966માં વેદાંતાચાર્યની પદવી મેળવી.

    ➤ ગુજરાતમાં આવી પેટલાદ (દંતાલી)માં આશ્રમ સ્થાપ્યો.


    મોરારિ બાપુ

    ➤ જન્મ :- ભાવનગર જિલ્લાના તલગાજરડા

    ➤ નિમ્બકાચાર્યની વૈષ્ણવ પરંપરાના અનુયાયી.

    ➤ તેમને દર વર્ષે 1,51,000 રૂપિયાના નરસિંહ મહેતા પુરસ્કારનું આયોજન કર્યું છે. હનુમાન જયંતીની ઉજવણી નિમિત્તે સાહિત્યકારોના સહયોગથી 'અસ્મિતાપર્વ'નું આયોજન પણ કરેલું છે.


    પ્રેમાનંદ

    ➤ જન્મ વડોદરા

    ➤ બાળપણ વીત્યું નંદબારમાં

    ➤ ગુરુ રામચરણ સાથે ભેટો થયો અને તેની જીવનદિશા જ બદલાઈ ગઈ

    ➤ ગુજરાતના જ્યોતિર્ધરનું બિરુદ પામ્યા છે.


    દયારામ

    ➤ કવિ ન્હાનાલાલે દયારામને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે.

    ➤ જન્મ મોસાળ ડભોઈમાં

    ➤ વતન ચાંદોદ

    ➤ કચ્છીમા 'ગિરિધર પ્રાણ' જેવી એમની રચના મળી આવે છે.

    ➤ તેમના અંતિમ દિવસોમાં એક વિધવા સોનારણ રતનબાઈએ સેવા કરી હતી.


    કવિ દલપતરામ

    ➤ ચૌદ વર્ષની વયે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત બની સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો હતો.

    ➤ દેવાનંદ સ્વામી પાસેથી પરંપરાગત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, પિંગળ અને વ્રજભાષાની કાવ્યશક્તિનું શિક્ષણ લીધું હતું. 

    ➤ એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસે ગુજરાતના ઈતિહાસ-સંસ્કૃતિ જાણવા તેમને ભોળાભાઈને કોઈ વ્યક્તિ શોધી આપવા વિનંતી કરી ને તેમને દલપતરામની ભલામણ કરી હતી.


    નર્મદ

    ➤ તેમને 'અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા' નામની એક સંસ્થાની સ્થાપના કરી હતી તેના પ્રમુખ નર્મદ અને મંત્રી મયારામ શંભુનાથ હતા.

    ➤ નર્મદે એકાદ વર્ષ 'જ્ઞાનસાગર' નામનું સાપ્તાહિક પણ ચલાવ્યું હતું.

    ➤ તેમને સુરતથી દાંડિયો નામનું પખવાડિક પત્ર શરૂ કર્યું હતું.


    સ્વામી સહજાનંદ

    ➤ સ્વામી નારાયણ સંપ્રદાયની સ્થાપના કરી

    ➤ જન્મ :- અયોધ્યા પાસે છપૈયામાં

    ➤ બાળપણનું નામ ઘનશ્યામ

    ➤ પાછળથી નીલકંઠ બ્રહ્મચારી કહેતા

    ➤ 1858માં રામાનંદસ્વામીએ તેમને જૂનાગઢ જિલ્લાના લોજપુર ગામના આશ્રમમાં દીક્ષા આપી ત્યારથી સહજાનંદ નામે ઓળખાયા

    ➤ તેમનો સંપ્રદાય ઓધવ સંપ્રદાય કહેવાય છે

    ➤ ગુજરાતી ભાષામાં બે સુંદર ગ્રંથો રચ્યા :- 1.શિક્ષાપત્રી અને 2.વચનામૃત